Sunday, 08/09/2024
Dark Mode

દાહોદમાં સરકારી પડતર જમીન પર ધમધમતા ઈંટના ભઠ્ઠા પર તંત્રની કાર્યવાહી..નગરાળા જેસાવાડા રોડ પર ઈટના ભટ્ટાને તંત્રે સીલ માર્યું..

January 1, 2024
        2345
દાહોદમાં સરકારી પડતર જમીન પર ધમધમતા ઈંટના ભઠ્ઠા પર તંત્રની કાર્યવાહી..નગરાળા જેસાવાડા રોડ પર ઈટના ભટ્ટાને તંત્રે સીલ માર્યું..

દાહોદમાં સરકારી પડતર જમીન પર ધમધમતા ઈંટના ભઠ્ઠા પર તંત્રની કાર્યવાહી..

દાહોદ તાલુકાના નગરાળા જેસાવાડા રોડ પર ઈટના ભટ્ટાને તંત્રે સીલ માર્યું..

જિલ્લા સ્વાગતમા ઇટના ભટ્ટા સામે સુનવણીના આદેશો બાદ પ્રાંત તેમજ મામલતદારની કાર્યવાહી..

 સરકારી જમીન, તળાવની સાથે ખેતીની જમીનમાં પણ મંજૂરી વગર ઇટનો ભટ્ટો ધમધમતો હતો..

 દાહોદ તાલુકામાં ધમધમતા અન્ય ઈંટોના ભટ્ટા સરકારી માપદંડ અને ધારા ધોરણ મુજબ ચાલી રહ્યા છે કે કેમ? તપાસ જરૂરી.

દાહોદ તા.01

દાહોદમાં સરકારી પડતર જમીન પર ધમધમતા ઈંટના ભઠ્ઠા પર તંત્રની કાર્યવાહી..નગરાળા જેસાવાડા રોડ પર ઈટના ભટ્ટાને તંત્રે સીલ માર્યું..

 દાહોદ તાલુકાના નગરાળા જેસાવાડા રોડ પર ધમધમતા ઈટના ભઠ્ઠા પર પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી ઇટના ભટ્ટાને સીલ મારતા ચકચાર મચી જવા પામી છે. ઉપરોક્ત મામલામાં એક વ્યક્તિ દ્વારા આ ઈંટ નો ભઠ્ઠો સરકારી પડતર જમીનમાં ચાલતો હોવાની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરી હતી.જે બાદ ઉપરોક્ત મામલે તપાસ હાથ ધરી હકીકતલક્ષી અહેવાલ સુપ્રત કરવાનો સ્વાગતમાં હુકમ થતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.

દાહોદમાં સરકારી પડતર જમીન પર ધમધમતા ઈંટના ભઠ્ઠા પર તંત્રની કાર્યવાહી..નગરાળા જેસાવાડા રોડ પર ઈટના ભટ્ટાને તંત્રે સીલ માર્યું..

 આમ તો દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી ટીડીઓનું હુકમ, જિલ્લા પંચાયત પ્રમુખનું નકલી લેટર બાદ વધુ એક ફણગો બહાર આવતા આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે.જેમાં દાહોદ તાલુકાના નગરાળા ગામે જેસાવાડા રોડ પર રેવેન્યુ સરવે નંબર 390,392 મા સિદ્દીક હારુન સાજીની માલિકીનું નીલમ બ્રિક્સ નામક ઈટ ઉત્પાદનનો ભટ્ટો સરકારી પડતર જમીનમાં વર્ષોથી ધમધમતો હોવાની અરજી યુનુસ કાદર સાજી નામક વ્યક્તિએ કરી હતી. આ અરજી સુનવણી અને અપીલ બાદ સમગ્ર મામલો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યો હતો. જ્યાં અરજદારની અરજી સંદર્ભે જિલ્લા સ્વાગત કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરી

દાહોદમાં સરકારી પડતર જમીન પર ધમધમતા ઈંટના ભઠ્ઠા પર તંત્રની કાર્યવાહી..નગરાળા જેસાવાડા રોડ પર ઈટના ભટ્ટાને તંત્રે સીલ માર્યું..

અત્રેની કચેરીએ હકીકતલક્ષી અહેવાલ સુપ્રત કરવા બાબતે પ્રાંત અધિકારી એન. બી. રાજપુતને આદેશ કરવામાં આવ્યો હતો જે બાદ પ્રાંત અધિકારી એન. બી.રાજપૂત.તેમજ દાહોદ મામલતદાર મનોજ મિશ્રાની ટીમ દ્વારા ગતરોજ ઉપરોક્ત નીલમ બ્રિક્સ નામક ચાલતા ઈટના ભઠ્ઠા પર ઓચિંતી તપાસ હાથ ધરી જરૂરી દસ્તાવેજો કાગળિયા માંગતા ઇતના ભટ્ટાના માલિક દ્વારા કોઈપણ પ્રકારના બિનખેતીના અથવા માલિકીના જરૂરી દસ્તાવેજ કાગળિયા રજૂ કરી ન શક્યો હતો.જે બાદ ઉપસ્થિત તંત્રની ટીમે રેકોર્ડની તપાસ હાથ ધરતા આ સમગ્ર ઈટનો ભટ્ટો સરકારી પડતર જમીન, તળાવની જમીન તેમજ નજીકમાં ખેતીની જમીનમાં માત્ર બાનાખત ના આધારે કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વગર ચાલતો હોવાનું સામે આવતા પ્રાંત અધિકારી એન.બી.રાજપુતના આદેશો અનુસાર તંત્ર દ્વારા કાપડ તોડ આ ઇટના ભઠ્ઠાને સીલ મારી આગળની જરૂરી કાગળિયા કારવાઈ હાથ ધરતા ચક્ચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા ગેરકાયદેસર રીતે ધમધમતા ઇટના ભટ્ટા સામે જિલ્લા સ્વાગતમાં અરજી કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હશે. તો વિચાર માંગવા જેવી બાબત એ છે કે દાહોદ તાલુકા તેમજ અન્ય વિસ્તારોમાં ચાલતા ઈટના ભઠ્ઠાઓ બિનખેતીના હુકમો, સંમતિપત્ર, એનજીટીની ગાઈડલાઈન, સહિતના સરકાર દ્વારા નક્કી કરેલા માપદંડો તેમજ ધારાધોરણના અનુસાર ચાલે છે કે કેમ.? અથવા ઈટના ભટ્ટાના માલિકોને જેટલી જમીનમાં ઈંટોનું ઉત્પાદન કરવા માટે ખાણ ખનીજ તેમાં સંમતિ વિભાગ દ્વારા રોયલ્ટી સ્વરૂપે મંજૂરી મળેલી છે.તેટલી જ જમીનમાં અથવા આમ કહો કે ક્ષેત્રફળ કે નક્કી કરેલા પેરા મીટરમાં જ ઉત્પાદન કરી રહ્યા છે કે તેનાથી આગળ વધી રોયલ્ટી અને સરકારના નક્કી કરેલા ધારા ધોરણનો ઉલ્લંઘન કરી રહ્યા છે. તે અંગે પણ સમય સમયે સંબંધીત વિભાગ દ્વારા ઓચિંતી ચેકિંગ હાથ ધરવામાં આવે તો સરકારની રેવેન્યુ તો વધે જ સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ યોગ્ય રીતે થાય તેમાં કોઈ બેમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!