દાહોદમાં ચાર ભેજાબાજોનું કારસ્તાન:ફાઇનાન્સ કંપનીમાં નકલી સોનુ પધરાવી 26 લાખ ઉપરાંતની છેતરપિંડી કરી..
ફાઇનાન્સ કંપનીના મેનેજરે ચારેય ભેજાબાજો વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધાવ્યો..
દાહોદ તા.04
દાહોદ શહેરમાં એક ચકચારી બનાવો સામે આવ્યો છે જેમાં શહેરના ચાર ભેજાબાજોએ ગોલ્ડ લોન કંપનીમાં નકલી સોનું પધરાવી 26 લાખ ઉપરાંતની રોકડ રકમ લોન પેટે મેળવી ફાઇનાન્સ કંપની જોડે છેતરપિંડી કરતા છેતરપિંડીનો ભોગ બનેલા ફાઇનાન્સ કંપનીના મેનેજરે ચારેય ભેજાબાજો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ભેજાબાજો સામે ગુનો દાખલ કર્યો છે.
દાહોદ શહેરના ગોવિંદનગર ખાતે રહેતા ભાવિન પ્રવીણ ચન્દ્ર સિંધે વુંદાવન સોસાયટી ખાતે રહેતા જીગરભાઈ અશ્વિનભાઇ પંડ્યા મધુરમ સોસાયટી ગોવિંદનગર ખાતે રહેતા મયુરભાઈ અરવિંદકુમાર સોની અને રોહિણી એપાર્ટમેન્ટ પંચમુખી ખાતે રહેતા જીતેશકુમાર સુરેશકુમાર ભાટિયા આ ચાર ભેજાબાજોએ એક બીજાની મદદગારીથી પૂર્વ આયોજિત કાવતરું ઘડી ઈરાદા પૂર્વક મુથુટ ફીનકોર્પ ગોલ્ડ નામક ખાનગી ફાયનાન્સ કંપની જોડે છેતરપિંડી કરી બનાવટી સોનાના દાગીના ઉપર સોનાનો ઢાલ બનાવીને કંપનીને સાચા દાગીના તરીકે રજૂ કરી અને તેઓના દાગીના બનાવટી છે.તેમ છતાંય ઉપરોક્ત ભેજાબાજોએ ઓરીજનલ દાગીના હોવાનું કહીને ફાઇનાન્સ કંપની પાસેથી મોટી રકમ પડાવી લીધી હતી. તેમની વચ્ચે થયેલા કરાર મુજબ ચારેય ભેજાબાજોએ લોનની રકમ નહીં ભરી કે બનાવટી સોનાના દાગીનાની જગ્યાએ ઓરીજનલ દાગીના ન આપી લોનની રકમના નાણાં પરત ન ભરી કંપની સાથે અલગ અલગ તારીખે અલગ અલગ દાગીનાઓ ઉપર લોનો મેળવી કંપની પાસેથી કુલ બાર લોન પેટે 26,55,431 રૂપિયાની રકમ મેળવી ફાઇનાન્સ કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરાતા આમ આ મામલે મુથૂટ ફીનકોર્પ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા બળવંત ઓમકાર કુશવાહાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ઉપરોક્ત ચારેય ઈસમોએ મુથુટ ફાઇનાન્સ કંપનીમાં બનાવટી સોનાના દાગીના મૂકી અને ચારેય ઈસમોએ 12 વખત અલગ અલગ સોનાના બનાવટી દાગીનાઓ મૂકી 26,55,431 રૂપિયાનો ફાઇનાન્સ કંપનીને ચુનો લગાવતા આ મામલે બી ડિવિઝન પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી ચારેય ઈસમોના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
