
સંજેલી :- મહેન્દ્ર ચારેલ
સંજેલી સરોરી PHC, ડુંગરા પંચાયત ભવન અને શાળાના ઓરડાનુ સાંસદના હસ્તે લોકાર્પણ..
સરોરી આરોગ્ય કેન્દ્ર 122 લાખ, પંચાયત ભવન 18 લાખ અને શાળાના ઓરડા 66 લાખના ખર્ચે બનાવી ખુલ્લા મુકાયા..
કોંગ્રેસના રાજમાં ઢાળિયામાં છાયા તડકામાં અને સાગડાના પાનામાં નાસ્તો કરતા હતા..જશવંતસિંહ ભાભોર
સંજેલી તા. ૧૯
સંજેલી તાલુકાના અનીકા, ડુંગરા અને સરોરી આમ ત્રણ જગ્યાએ ત્રિવેણી ભવનનું સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે PHC,ઓરડા, પંચાયત ભવન લોકાર્પણ કરવામાં આવ્યો..
સૌપ્રથમ અનિકા પ્રાથમિક શાળાના 66 લાખના નવીન 6 ઓરડાનું લોકાર્પણ બાદ ડુંગરામાં 18 લાખના નવીન પંચાયત ભવન લોકાર્પણ અને 122 લાખના ખર્ચે બનેલ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવીયુ..
સંજેલી તાલુકાના સરોરી ખાતે સાંસદ અને ધારાસભ્યના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ભગવાન એ આપણા ડોક્ટર છે.108 ની સગવડ આયુષ્યમાન કાર્ડ મા 10 લાખ સુધીની સારવાર મફત મળે આવી વિવિધ યોજના વિશે માહિતગાર કર્યા અને વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરી કહ્યું કે કોંગ્રેસે બહુ વર્ષો સુધી રાજ કરી ગઈ ત્યારે આપણા આરોગ્યની ચિંતા કોઈ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીએ નથી કરી.આપણા માટે ગુજરાતના નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આપણું બાળક કુપોષિત ના થાય તે માટે ચિંતા કરે છે.આંગણવાડીમાં બાળકોને મોકલો રમત અને પ્રાથમિક શિક્ષણ અને પ્રોટીન આહાર આપવો સગર્ભા ધાત્રી બહેનોને જમવાનું આપે છે તેનો લાભ લો અને આંગણવાડી બહેનોને સ્માર્ટ મોબાઈલ આપવાની પણ વાત કરી જાહેરાત હજી કરી નથી.અને વધુ કહ્યું કે આંગણવાડી બહેનોમાં બહુ તાકાત છે પણ આંગણવાડી બહેનોનો થોડો વિરોધ ચાલે છે બીઓલોને લઈ નિમણૂક થઈ એટલે તેની પણ ચર્ચા કરવામાં આવી છે અને તેનો રસ્તો પણ કાઢી રહ્યા હોવાની વાત કરી છે. શ્રેષ્ઠ ભારત વિકસિત ભારત નયા ભારત વિશે આપણા મોદી સાહેબ કામ કરી રહ્યા છે. 800 આંગણવાડી હજી બાકી છે દાહોદ જિલ્લામાં એક પણ જર્જરીત આંગણવાડી ના રહે તે હેતુસર ચર્ચા પણ કરવામાં આવી છે.કોંગ્રેસના રાજમાં પટેલના ઘરમાં ડાળિયામાં છાયા અને તડકામાં હાગડાના પાનામાં નાસ્તો કરતા હતા અને કેટલાક વર્ષો અગાઉ લોકો તકલીફમાં જીવી રહ્યા હતા આજે સંજેલી ની આદિવાસી દીકરીઓ ડોક્ટર બની રહી છે અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપશે અને આપણા સંજેલી તાલુકાની કોલેજની મંજૂરી પણ મળી ગઈ છે જેથી હવે વિદ્યાર્થીઓને સંતરામપુર ઝાલોદ કે સિંગવડ જવું નહીં પડે..આપણી સરકારે સર્વ શિક્ષા અભિયાન શરૂ કરીને આખા ભારતમાં બહુમાળી શાળાઓ, ઓરડાઓ ગણવેશ સ્કોલરશીપ લાઇબ્રેરી કોમ્પ્યુટરની સગવડ સહીત કેન્દ્ર સરકારે આપી રહી છે જેથી આપણા બાળકોને ભણાવા માટે આહવાન કરીયુ..
આ કાર્યક્રમમાં ધારાસભ્ય, TDO, મામલતદાર,તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ રુચિતા મેડમ પાર્ટી પ્રમુખ સરપંચો સરદાર સાહેબ મહેન્દ્રભાઈ,બંટાભાઇ,જશુભાઈ દલસુખમહારાજ,ડોક્ટરો, સ્ટાફ,નર્સ આંગણવાડી બહેનો વર્કરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો..