રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ RTO પાસે અકસ્માત: ચાલક કાળનો કોળિયો બન્યો.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર પુરપાટ આવતી કારે બાઈકને ટક્કર મારી, બાઈક સવાર યુવકનુ ઘટનાસ્થળે મોત..
દાહોદ તા.02
દાહોદના અમદાવાદ-ઈન્દોર હાઇવે પર આર.ટી.ઓ. કચેરી નજીક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયેલા અકસ્માતમા બાઈક સવારનુ મોત નિપજ્યુ હતુ જ્યારે એક બાળક અને મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડાવામા આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ તાલુકાના દશલા ગામના સરપંચ ફળિયામાં રહેતા જવસિંગભાઇ ગણાવાના 40 વર્ષીય પુત્ર કમલેશભાઈ ગણાવા તેની પત્ની અને એક બાળકને લઈ પોતાની મોટરસાયકલ પર લઈને દાહોદ કામ અર્થે આવ્યા હતા, તે દરમ્યાન દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે પર આર.ટી.ઓ. કચેરી નજીક તે તેમની પત્ની અને એક બાળકને લઈ હાઇવે નજીક ઉભા હતા, તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી પૂર ઝડપે અને ગફલ્ટ ભરી રીતે લાલ કલરની MP 09Z9 8648 નંબરની બ્રેઝા ફોર વ્હિલ ગાડીના ચાલકે હાઇવે નજીક રોડની સાઈડમા પોતાના કબ્જાની મોટર સાઇકલ નંબર GJ 24 L6389 લઈને ઉભેલા કમલેશભાઈ એમની પત્ની અને એક બાળકને અડફેટમાં લેતા ત્રણે જણા હાઇવેથી દૂર સુધી ફેંકાયા હતા
અને ફોર વ્હિલ ગાડી હાઇવે નજીક પલ્ટી ખાડામા ખાબકી હતી.અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા તપાસ કરતા કલ્પેશભાઇનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું મ, અને ઈજાગ્રસ્ત એક મહિલા અને બાળકને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માત બાદ કાર ચાલક અને કાર માં સવાર 4 લોકો ગાડી મૂકી ફરાર થયા હતા, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણવા મળેલ છે.