નીલ ડોડીયાર/જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.18
રાજ્ય સરકાર દ્વારા ચારણ, ભરવાડ, અને રબારી સમાજને આદિજાતીના પ્રમાણ પત્રો સંદર્ભે રાજ્યભરના આદિવાસી સમાજમાં વિરોધ વંટોળ ઉભો થયો છે અને રાજ્ય સરકારના નિર્ણયનો આદિવાસી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.ત્યારે આદિવાસી સમાજ દ્વારા ગાંધીનગર ખાતે આદિજાતિના પ્રમાણપત્રો રદ્દ કરવાની માગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ધરણા પર બૈઠા છે.ત્યારે આજરોજ
દાહોદ શહેરના ભગિની સમાજ ચોકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ દે.બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડનું દાહોદના આદિવાસી સમાજના યુવાનો દ્વારા પૂતળા દહન કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
દાહોદ શહેરના ભગિની સમાજ ચોકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ દે.બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડનું દાહોદના આદિવાસી સમાજના યુવાનો દ્વારા પૂતળા દહન કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
