કપિલ સાધુ @સંજેલી
સંજેલી તા.16
રાજ્ય સરકાર દ્વારા ચારણ, ભરવાડ, અને રબારી સમાજને આદિજાતીના પ્રમાણ પત્રો સંદર્ભે રાજ્યભરના આદિવાસી સમાજમાં વિરોધ વંટોળ ઉભો થયો છે અને રાજ્ય સરકારના નિર્ણયનો આદિવાસી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.ત્યારે આદિવાસી સમાજ દ્વારા ગાંધીનગર ખાતે આદિજાતિના પ્રમાણપત્રો રદ્દ કરવાની માગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ધરણા પર બૈઠા છે.ત્યારે આજરોજ
રબારી,ચારણ, ભરવાડ મુદ્દે સમર્થન ન આપવા બદલ ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ દે.બારીઆ ના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડનું આદિવાસી પરિવાર સંજેલી દ્વારા પૂતળા દહન કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
રબારી,ચારણ, ભરવાડ મુદ્દે સમર્થન ન આપવા બદલ ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ દે.બારીઆ ના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડનું આદિવાસી પરિવાર સંજેલી દ્વારા પૂતળા દહન કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
