ભારત સરકારની પી.એમ.કિશાન યોજનામાં દાહોદ જિલ્લાના જુદા – જુદા તાલુકાના ગામોમાંથી કુલ ૩૫,૪૩૬ અરજીઓની ચકાસણી કરાવતા તે પૈકી ફક્ત ૨૭૧૯ ખેડુત ખાતેદાર જણાઈ આવ્યા હતા અને ૩૨૭૧૭ વ્યક્તિઓ ખાતેદાર ન હોવાનું માલુમ પડ્યુ હતુ. આ પૈકી ૧૧૯૧ વ્યક્તિઓને રૂા.૨,૦૦૦ હપ્તા લેખે રૂા.૨૩,૮૨,૦૦૦ જેટલાની કોઈ અજાણ્યા વ્યક્તિઓ છેતપીંડી, વિશ્વાસઘાત કરી સરકારના ખોટા નાણાં મેળવવા ખોટા દસ્તાવેજાે ઉભા કરી આર્થિક લાભ મેળવ્યો હતો. આ કૌંભાંડને પગલે ઉચ્ચસ્તરીય તપાસના ધમધમાટ શરૂ થતાં દાહોદ જિલ્લામાં પીએમ કિશાન યોજનાની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હાલ આરોપીઓનું નામ માલુમ પડ્યું નથી પરંતુ ઉચ્ચસ્તરીય તપાસનો દોર શરૂ થતાં હવે આરોપીઓના નામ ખુલવા પામશે તેવુ પ્રતિત થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ પી.એમ.કિશાન યોજનાની કામગીરીને લઈ અનેક સવાલો સહિત કૌંભાંડો થતી હોવાની ચર્ચાઓ દાહોદ જિલ્લામાં ભારે ચાલી હતી. બોગસ ખેડુતોની નોંધણી કરાવી બારોબારી સરકારી નાણાંની ઉપાચત થતી હોવાની પણ છડેચોક બુમો ઉઠવા પામી હતી ત્યારે આ સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ હાથ ધરાતાં ઉપરોક્ત કૌંભાંડ સામે આવતા અરજી તપાસકર્તાઓમાં પણ ચકચાર મચી જવા પામી હતી.